દ્વારકા જિલ્લાની પળેપળના સમાચાર મેળવવા ગ્રૂપમાં જોઈન થવા and અહીં ક્લિક કરો .
Accept
Amazing DwarkaAmazing Dwarka
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
    • દ્વારકા
      • ઓખા મંડળ સમાચાર
      • જામ કલ્યાણપુર સમાચાર
      • જામ ખંભાળિયા સમાચાર
      • ભાટિયા સમાચાર
      • ભાણવડ સમાચાર
    • પોરબંદર સમાચાર
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
    • About Us
    • Contacts Us
Reading: 19 વર્ષની વયે શહીદી વહોરનારા વીર સપૂત રમેશકુમાર જોગલ, કારગિલ યુદ્ધમાં થયાં દુશ્મનને ધૂળ ચાંટતા કરી દીધા હતા
Share
Notification Show More
Aa
Amazing DwarkaAmazing Dwarka
Aa
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
    • દ્વારકા
    • પોરબંદર સમાચાર
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
    • About Us
    • Contacts Us
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Amazing Dwarka > News > દ્વારકા > ભાણવડ સમાચાર > 19 વર્ષની વયે શહીદી વહોરનારા વીર સપૂત રમેશકુમાર જોગલ, કારગિલ યુદ્ધમાં થયાં દુશ્મનને ધૂળ ચાંટતા કરી દીધા હતા
ગુજરાતBreaking Newsભાણવડ સમાચારવ્યક્તિ વિશેષ

19 વર્ષની વયે શહીદી વહોરનારા વીર સપૂત રમેશકુમાર જોગલ, કારગિલ યુદ્ધમાં થયાં દુશ્મનને ધૂળ ચાંટતા કરી દીધા હતા

શહીદ વીર રમેશ જોગલ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના રહેવાસી હતા. આજે પરિવારમાં તેમના માતા અને એક ભાઈ છે જેઓ હાલ જામનગરમાં રહે છે અને વીર શહીદના નામથી સેવાકીય પ્રવૃતિઓ કરે છે.

Amazing Dwarka
Last updated: 2023/07/06 at 12:08 PM
Amazing Dwarka 5 months ago
Share
Vir Saput Rameshbhai Jogal
19 વર્ષની વયે શહીદી વહોરનારા વીર સપૂત રમેશકુમાર જોગલ
SHARE
  • 19 વર્ષની વયે શહીદી વહોરનારા વીર સપૂત રમેશકુમાર જોગલ
  • ખુબ જ હોંશિયાર અને પરાક્રમિ હતા વીર શહીદ રમેશકુમાર
  • કારગિલ યુદ્ધ 1999

Veer Saput Rameshkumar Jogal: કોઈ તમને પૂછે કે 19 વર્ષની ઉંમરે તમે શું કરતા હતા તો તમારો જવાબ હશે કે હું અભ્યાસ કરતો હતો અથવા તો નોકરી મેળવવાના પ્રયાસ કરતો હતો પરંતુ આજે અમે તમને એક એવા વીર શહીદની વાત કરીશું જેઓએ માત્ર 19 વર્ષની ઉંમરે તો મા ભોમની રક્ષા કરવા માટે શહીદી વહોરી લીધી હતી. આજે એ વીર સપૂતની પુણ્યતિથિ છે., શહીદ વીર રમેશ જોગલ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના રહેવાસી હતા. આજે પરિવારમાં તેમના માતા અને એક ભાઈ છે જેઓ હાલ જામનગરમાં રહે છે અને વીર શહીદના નામથી સેવાકીય પ્રવૃતિઓ કરે છે. શહીદ વીર રમેશ જોગલની વીરતા અને પરાક્રમના કિસ્સા સાંભળીને તમારા રુવાટા ઉભા થઇ જશે…

Contents
ખુબ જ હોંશિયાર અને પરાક્રમિ હતા વીર શહીદ રમેશકુમારકારગિલ યુદ્ધ 1999
વીર સપૂત રમેશકુમાર જોગલ

3 મે 1999ના એ દિવસે નાપાક દેશના સૈનિકોએ કારગિલ પર અચાનક હુમલો કર્યો અને યુદ્ધના મંડાણ થયા હતા, આ યુદ્ધ 22 જુલાઈ 1999 સુધી ચાલ્યું, ભારતના પરાક્રમિ અને વીર જવાનોએ દુશ્મનોને ધૂળ ચાંટતા કરી દીધા હતા. જીવ સટોસટીના આ યુદ્વમાં ભારતમાતાના અનેક જવાનોએ શહીદી વહોરી હતી. જેમાં ગુજરાતના 12 જવાનો પણ હતા, જો કે સૌથી મહત્વની વાત તો એ છે કે શહીદ થયેલા આ 12 જવાનોમાં સૌથી નાની વયના સૈનિક હતા રમેશકુમાર જોગલ. જેઓની ઉંમર માત્ર 19 વર્ષ હતી.

ખુબ જ હોંશિયાર અને પરાક્રમિ હતા વીર શહીદ રમેશકુમાર

વીર શહીદ રમેશકુમાર જોગલ બાળપણથી જ પરાક્રમી અને સાહસવીર હોવાનું પ્રાથમિક શાળાના શિક્ષકો જણાવે છે. તેઓએ પહેલા જ નક્કી કરી લીધું હતું કે આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવી છે. બાદમાં 1990માં તેઓ સેનામાં ભરતી થયા. આર્મીમાં રમેશકુમારને આર્ટીલરી વિભાગ મળ્યો હતો. અહીં તેઓ પોતાનું કૌવત દેખાડ્યું જેમાં તેઓ ફાયરિંગની તાલીમ દરમિયાન રમેશભાઈએ ખુબ જ સારુ પ્રદર્શન કર્યું અને આર્મીના ઉચ્ચ અધિકારીઓની નજરમાં આવી ગયા. તેમની આ કુશળતા જોઈને એ સમયે તેઓને ઉચ્ચ અધિકારીઓ તરફથી 100 રૂપિયાનું ઇનામ મળ્યું હતું.

વીર સપૂત રમેશકુમાર જોગલ

રમેશભાઈએ પરિવારને લખેલા પત્રોમાં આ વાત જણાવી હતી. એ સમયે પત્ર ઘર સુધી પહોંચવામાં ખુબ સમય લાગતો. પરિવારે આજે પણ ઘરેણાંની જેમ રમેશભાઈના પત્રો સાચવીને રાખ્યા છે. આજે પણ વીર શહીદ રમેશભાઈની એ લોખંડની પેટી જેમાં તેમનો સમાન હતો એ સાચવીને રાખ્યો છે. જેમાં રમેશભાઈનો યુનિફોર્મ, બુટ, પત્રો, મેડલ સહીતની તમામ વસ્તુઓ છે. રમેશભાઈના બુટમાં પંજાના ભાગે ગોળી વાગી હતી તેનું નિશાન છે. આ દ્રશ્ય જોઈને પરિવારની આંખો આજે પણ ભીની થઇ જાય છે. 19 વર્ષનો યુવક જેણે દુનિયા જોઈ પણ ન હતી તેનામાં અદભુત દેશભક્તિની જુવાળ સળગતી હતી. નાની વયે દેશ માટે વિરગતી પ્રાપ્ત કરી એવા રમેશકુમાર જોગલને સત સત નમન….

વીર સપૂત રમેશકુમાર જોગલ

કારગિલ યુદ્ધ 1999

કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય (હિન્દી: विजय, શાબ્દિક “વિજય”) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું. આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.

You Might Also Like

દિવાળી પર Dwarkadhishના દર્શને જવાના છો ? તો એકવખત આ સમાચાર જરૂર વાંચી લેજો!

Amazing Dwarka Amazing Navratri: બે દિવસની વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

MLA Hemant Khava: રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાએ યોજી આક્રોશ રેલી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Khambhaliya: ખંભાળિયામાં મીની તરેણેતર સમાન ગણાતા લોકમેળાનું આયોજન, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી

Eco friendly Ganpati idol: લાખો યુવાનોને પ્રેરણા આપતો ખંભાળિયાના ગામડાનો આ યુવક; માટીના એવા ગણપતિ બનાવે કે અક્કલ કામ ન કરે

TAGGED: Veer Saput Rameshkumar Jogal
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
Previous Article Where do these winged insects come from? ચોમાસામાં સૌથી મોટી સમસ્યા, આ પાંખવાળા જીવડા આવે છે ક્યાંથી, તેને ભગાડવા હોય તો શું કરવું ?
Next Article captain Kargil hero Vikram Batra યે દિલ માંગે મોર !! નામ સાંભળતા જ દુશ્મનો થર થર કાંપતા, કારગિલ યુદ્ધના હીરો વિક્રમ બત્રા
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Dwarkadhish

દિવાળી પર Dwarkadhishના દર્શને જવાના છો ? તો એકવખત આ સમાચાર જરૂર વાંચી લેજો!

1 month ago
Amazing Dwarka Amazing Navratri

Amazing Dwarka Amazing Navratri: બે દિવસની વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

2 months ago
MLA Hemant Khava protest rally

MLA Hemant Khava: રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાએ યોજી આક્રોશ રેલી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

2 months ago
mini tarnetar tarike janitu khambhaliya

Khambhaliya: ખંભાળિયામાં મીની તરેણેતર સમાન ગણાતા લોકમેળાનું આયોજન, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી

2 months ago
about us

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પળેપળની માહિતી આપતું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ અમેઝિંગ દ્વારકા. નાનામાં નાના ગામડાથી લઈને શહેરના સચોટ સમાચાર અમેઝિંગ દ્વારકા પર

Find Us on Socials

© Amazing Dwarka. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Lost your password?